જયપુરમાં કાર અકસ્માતમાં ગુજરાતના એક જ પરિવારના 5 સભ્યોના મોત

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં હાઇવે પર ગુરુવારે વહેલી સવારે કારનું ટાયર ફાટવાથી થયેલા અકસ્માતમાં એક શિશું સહિત ગુજરાતના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. આ ઘટના બેરવર-પિંડવાડા હાઈવે પર બની હતી. પરિવાર ગુજરાતમાંથી રાજસ્થાનના ફલોદી જઈ રહ્યો હતો.

કારનું ટાયર ફાટ્યું ત્યારે તે  ખૂબ જ સ્પીડમાં હતી અને પલટી ખાઈ ગઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં પ્રતાપ (53), તેમની પત્ની ઉષા (48), રામુ રામ (50), પૂજા (25) અને તેમની 11 મહિનાની પુત્રી આશુનું મોત થયું હતું.પરિવારની અન્ય એક મહિલા સભ્ય શરદને ઈજા થઈ છે.પોલીસે જણાવ્યું કે, પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “જયપુરમાં કાર અકસ્માતમાં ગુજરાતના એક જ પરિવારના 5 સભ્યોના મોત”

Leave a Reply

Gravatar